30
સપ્ટેમ્બરે ભારત-શ્રીલંકા વચ્ચેના મેચ સાથે વિશ્વ કપનો પ્રારંભ
કુલ
28 લીગ મેચ અને 3 નોકઆઉટ મુકાબલા
નવી
દિલ્હી, તા.16: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આજે ભારત-શ્રીલંકામાં રમાનાર
મહિલા વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેની શરૂઆત 30 સપ્ટેમ્બર-202પના
બેંગ્લુરુમાં ભારત-શ્રીલંકા વચ્ચેના મેચ સાથે થશે જ્યારે ટૂર્નામેન્ટનો હાઇવોલ્ટેજ
મેચ ભારત-પાકિસ્તાન વચ્ચેનો પ ઓકટોબરના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમ પર રમાશે. બીસીસીઆઇ
અને પીસીબી વચ્ચેની સમજૂતિ અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચેના આઇસીસી ટૂર્નામેન્ટના મેચ
તટસ્થ પર રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 28 લીગ મેચ અને 3 નોકઆઉટ મેચ હશે.
ભારતીય
મહિલા ટીમનો બીજો લીગ મેચ 9 ઓક્ટોબરે દ. આફ્રિકા સામે હશે. જે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.
જ્યારે 12 ઓક્ટોબરે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની ટક્કર થશે.
આ મેચ પણ વિશાખાપટ્ટન ખાતે રમાશે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેનો મેચ ઇન્દોરમાં 19 ઓકટોબરે
રમાશે. 23મીએ ભારત સામે ન્યુઝીલેન્ડ ટીમ હશે. આ મેચ ગુવાહાટી ખાતે રમાશે. ભારતીય મહિલા
ટીમનો આખરી લીગ મેચ બાંગલાદેશ વિરુદ્ધ હશે. જે બેંગ્લુરુમાં 26 ઓક્ટોબરે રમાશે. વર્તમાન
વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમ તેના અભિયાનની શરૂઆત 1 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે કરશે.
મહિલા
વન ડે વર્લ્ડ કપનો પ્રથમ સેમિ ફાઇનલ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં અને બીજો
સેમિ ફાઇનલ મેચ 30મીએ બેંગ્લુરુમાં રમાશે જ્યારે ફાઇનલ મુકાબલો તા. 2 નવેમ્બરે કોલંબો
અથવા બેંગ્લુરુ ખાતે રમાશે. જો પાક. મહિલા ટીમ સેમિ અને ફાઇનલ મેચ સુધી પહોંચશે તો
જ તેના હિસ્સાના મેચ કોલંબોમાં રમાશે.