• મંગળવાર, 17 જૂન, 2025

સાવરકુંડલાના મઢડા ગામે માર મારવાથી યુવાનનું મૃત્યુ વીરડી ગામનો યુવાન ભાગિયું રાખી ખેતી કરતો હતો : પોલીસ તપાસનો ધમધમાટ

સાવરકુંડલા, તા.15: સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ભાગીયુ રાખી ખેતીકામ કરતા યુવાનનો કોઈ શખ્સો દ્વારા માર મારવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના વીરડી ગામે રહેતા સનાભાઈ કાળાભાઈ ગોહિલ (ઉ. 45) સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ભાગવી ખેતીની જમીન રાખી મગફળીના પાકની વાવણી કરી ખેતી કરતા હતા. તેમને મઢડા ગામે માથાકૂટ થતા અમુક લોકો દ્વારા તેમને માર મારતા તેમનું મૃત્યુ થયું હતું. તેમને મઢડા ગામેથી સાવરકુંડલા કે.કે  મહેતા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા સાવરકુંડલા ડિવિઝનના એ.એસ.પી. વલય વૈદ્ય, રૂરલ પોલીસ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. મૃતક સનાભાઈ કાળાભાઈ સોલંકીને ક્યા કારણોસર માર મારવામાં આવ્યો? શું ઘટના બની હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વીરડી ગામના મૃતક સનાભાઈ ગોહિલને બે દીકરા અને ત્રણ દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે હજુ સુઘી પોલીસ ફરિયાદ દાખલ નોંધવામાં આવી નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક