• બુધવાર, 28 મે, 2025

બાંગ્લાદેશીઓનો ‘અડ્ડો’ બની ચૂકેલા ચંડોળામાં આજે ડિમોલિશન પાર્ટ-2

બીજા તબક્કામાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરાશે

જછઙની 25 ટીમો સાથે 3000થી વધુ પોલીસકર્મીઓનો કાફલો સ્થળ ઉપર તૈનાત રહેશે

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, તા. 19:  અમદાવાદમાં ‘િમનિ બાંગ્લાદેશ’ તરીકે જાણીતા થઈ ચૂકેલા ચંડોળા તળાવ પાસેના ગેરકાયદે દબાણો ઉપર છેલ્લા ઘણા સમયથી ડિમોલિશનની કાર્યવાહીની સાથોસાથ અહીંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓના ઝડપથી ડિપાર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે આવતીકાલે તા.20ને મંગળવારથી અહીં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહાનગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમા પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, ચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.  ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (જછઙ) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પાલિકાના અધિકારીઓનો અંદાજ છે કે, આ વિસ્તારમાં જેટલી માત્રામાં હજુ દબાણ છે, તેને જોતા ડિમોલિશનમાં બે થી ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્થાપિત પરિવારોના પુનર્વસન માટે પણ જોગવાઈઓ કરવામાં આવી રહી છે, અખઈ આ અભિયાનથી અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવાની યોજના બનાવી રહી છે. આ કામગીરીમાં 50 ઉંઈઇ મશીનો, 100 ટ્રક અને 500 અખઈ કર્મચારીઓ સામેલ હશે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 3 હજાર પોલીસકર્મીઓ અને 25 જછઙની ટીમો તૈનાત કરવામાં આવશે.વર્ષ 2025માં અત્યાર સુધીમાં 250 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા છે, જેમાંથી 207 ચંડોળા તળાવ વિસ્તારમાંથી હતા. 200થી વધુ લોકોને ડિપોર્ટ કરાયા છે.ચંડોળા તળાવ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં 4 હજાર જેટલી ગેરકાયદે ઝૂંપડીઓ અને બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક