• મંગળવાર, 17 જૂન, 2025

avshan nodh

રાજકોટ નાગરિક બેન્કના સી.એમ. ઓફિસર ધર્મેશભાઇ ટાંકનું અવસાન, આજે બેસણું

રાજકોટ: ધર્મેશભાઇ પ્રાણલાલ ટાંક (ઉં.47) હાલ રાજકોટ નાગરિક સહકારી બેન્ક હેડ ઓફિસ સી.એમ. ઓફિસર, તેજલબેનના પતિ, જૈમીનભાઇ તથા હેત્વીના પિતા, મુકુંદભાઇ અને રશ્મીબેનના મોટાભાઇનું તા.8ના અવસાન થયેલ છે. બેસણું તા.9 સોમવારે સાંજે 5થી 6-30  દેવી હોલ, જંકશન સ્ટેશન રોડ, પોપટપરાના નાલાની સામે, રાજકોટ રાખેલ છે. મુકુંદભાઇ ટાંક (મો.નં. 97145 15545), જૈમીન ટાંક (મો.નં. 93133 48282).

જૂનાગઢ: ત્રિભોવનદાસ જીવરાજભાઇ પુજારાના પુત્રવધૂ હેમાબેન (ઉં.66) તે વિનોદભાઇના પત્ની, સ્વ. પ્રવિણભાઇ, સ્વ. દિનેશભાઇ, પ્રફુલ્લભાઇ, રાજુભાઇ, મુકેશભાઇ, અતુલભાઇ અને વિજયભાઇના ભાભી, તેમજ અમીતભાઇ અને ભાવેશભાઇના માતુશ્રી, હેનીલ અને કેનીલના દાદી, કરશનદાસ કમળશીભાઇ વસાણી (વિસાવદર)ના પુત્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણું: સાદડી તા.9ના સાંજે 5થી 6 લોઢિયાવાડી, જલારામ સોસાયટી, જૂનાગઢ છે.

રાજકોટ: સ્વ. ધરમશીભાઇ વાલજીભાઇ નથવાણીના પુત્ર, દિનેશચંદ્ર (ઉં.75) તે  જ્યોત્સનાબેનના પતિ, ગૌરવભાઇ, અસ્મિતાબેનના પિતાશ્રી, હિનાબેન, રૂપાબેન, રાખીબેનના કાકા, સ્વ. અમૃતલાલ વિઠ્ઠલદાસ વસંતના જમાઇનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું, શ્વસુર પક્ષની સાદડી સાથે તા.9ના સાંજે 5થી 6 જાગનાથ મહાદેવ મંદિર, રાજકોટ છે.

રાજકોટ: ગોંડલ નિવાસી સ્વ. મધુસુદન રતિલાલ જોષીના પત્ની, મૃદુલાબેન (ઉં.86)તે ચૈતન્યભાઇ, નંદિનીબેન કૌશલભાઇ ઠાકર તથા ધર્મિષ્ઠાબેન હેનલભાઇ રાજદેવના માતુશ્રીનું તા.8ના અમદાવાદ ખાતે અવસાન થયું છે.

રાજકોટ: રીબડાવાળા સોની સ્વ. વલ્લભભાઇ દુર્લભજીભાઇ પારેખના પત્ની, લીલમબેન (ઉં.91) તે પ્રફૂલચંદ્ર, રાજેન્દ્રભાઇ, દિવ્યકાંતભાઇ, જ્યોતિબેન તથા હીનાબેનના માતુશ્રી, પ્રણવ, મયંક, માધુરી, બંસરી, પાર્થ, નિર્મલ, વિજયના દાદીમા, ટંકારાવાળા સોની કરશનદાસ પિતાંબરભાઇ રાણપરાના પુત્રી, સ્વ. વિનુભાઇ, સ્વ. વ્રજલાલભાઇ, સ્વ. ગુણવંતરાયના બહેનનું તા.7ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.9ના સાંજે 4થી 6 વાઘેશ્વરી વાડી યુનિટ નં.4, રામનાથપરા, રાજકોટ છે.

રાજકોટ: કાંતાબેન કનુભાઇ મોદી (ઉં.83) તે સ્વ. કનુભાઇ લાલજીભાઇ મોદીના પત્ની, હરેશભાઇ, અતુલભાઇ, પરેશભાઇ અને દીનાબેન કોટકના માતુશ્રી, કિરીટકુમાર કોટકના સાસુનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 5 આરએમસી અભય ભારદ્વાર કોમ્યુનિટી હોલ, પેરેડાઇઝ હોલ રોડ, ગોપાલ ચોકની બાજુમાં, રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના લક્ષ્મીશંકર ભીમજીભાઇ જાની તે સ્વ. મનુભાઇ ભીમજીભાઇ, વિનોદભાઇ, સ્વ. પ્રવીણભાઇ, દિનેશભાઇ જાનીના ભાઇ, ભાવનાબેનના પતિ, મયુરભાઇ, હિરેનભાઇના પિતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાને આસોપાલવ રેસીડેન્સી, રેલનગર મેઇન રોડ, ગુલમહોર પ્લાઝાની સામે, ભારત પેટ્રોલિયમની બાજુમાં રાજકોટ છે. મો.નં. 87806 30603/ 98987 29538.

ઇ-પેપરના નવા શુલ્ક