• મંગળવાર, 17 જૂન, 2025

avshan nodh

સાવરકુંડલા: હુસૈનભાઈ હાજી મુસાજીભાઈ ચૌહાણ (સીમેન્ટ)વાળા તે મુર્તૂઝાભાઈ, મહમદભાઈ, મુસ્તફાભાઈ, ઈબ્રાહીમભાઈ, ઝુજરભાઈના પિતાશ્રી, ઈસ્માઈલ, બુરહાનુદીન, અબ્બાસ, ઈનસીયા, બતુલ, ફાતેમાના દાદ, ઝુબેદાબેન જરીવાલા (સુરત), બાનુબેન સિનેમાવાળા (ભાવનગર), મેફુજાબેન સદીકોટ (ગોંડલ)ના ભાઈનું તા.12ના વફાત થયા છે. મર્હુમના ફાતેહા ચાલીસમાં રાખેલ છે.

જામનગર: મૂળ સલાયા નિવાસી સ્વ.વલ્લભદાસ લાલજી પંચમતિયાના પત્ની મણીબેન (વાલીબેન) (ઉં.106) તે મોહનભાઈ, અરવિંદભાઈ, સ્વ.ગોપાલભાઈ તથા અમૃતબેન કાનજીભાઈ દાવડાના માતુશ્રી, પીયૂષભાઈ (એડવોકેટ), હિતેશભાઈ, અજયભાઈ, હરીશભાઈ તથા અભયભાઈના દાદી, હરિદાસ બોધાભાઈ સોનેચા (કલ્યાણપુર)ના પુત્રીનું તા.12ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.13ના સવારે 8 વાગ્યે પિયુષભાઈના ઘરેથી નીકળશે. સરનામું 301, મહાલક્ષ્મી ગ્રીન, આશાપુરા હોટલવાળા, ગલી, આઈઓસી સ્ટાફ ક્વાટરની બાજુમાં, અંબાવિજય સોસાયટી, જામનગર છે.

વીરપુર જલારામ: ઉષાબેન કેતનભાઈ પાઉં તે કેતનભાઈ જયસુખભાઈ પાઉંના પત્ની, કિશનભાઈ, હિરલબેન, સ્નેહાબેનના માતુશ્રીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના 5થી 6, બસ સ્ટેશન રોડ, લોહાણા મહાજન વાડી, વીરપુર છે.

જામનગર: વીરેન્દ્રભાઈ ચંદુલાલ વેણિયાના પત્ની લાભુબેન (ઉં.78) તે જીતેન્દ્રભાઈ, અંજનાબેનના માતા, વિવેક અને રાજના દાદીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 4થી 5, બહુચરાજીની વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગર છે.

જૂનાગઢ: જૂનાગઢ નિવાસી પ્રભાબેન જોટાણિયા (ઉં.85) તે સ્વ.વિઠ્ઠલભાઈ (ભીખુભાઈ) દામજીભાઈ જોટાણિયાના પત્ની, ગિરીશભાઈ (મહેન્દ્રભાઈ), દિલીપભાઈ, પ્રવીણભાઈ અને કુસુમબેન (મુંબઈ)ના માતુશ્રી, જીતેન્દ્રભાઈ ભાઈલાલભાઈ સંચાણીયાના સાસુ, આદિત્ય, પૃથ્વી, દીપના દાદીનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

જૂનાગઢ: મૂળ ગામ ભાણવડ હાલ જૂનાગઢ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કૌશિક પ્રવિણચંદ્ર જોષી (ઉં.59) તે સ્વ.રતિલાલ જીવનલાલ જોષીના પૌત્ર, સ્વ.પ્રવીણચંદ્ર રતિલાલ જોષીના પુત્ર, નીતાબેન જોષી (નાની બચત એજન્ટ)ના પતિ, જીત જોષીના પિતાશ્રી, સ્વ.મધુકાંત, સુધાબેન (રાજકોટ) તથા હર્ષદભાઈના ભત્રીજા, પન્નાબેન, સ્વ.અલ્પાબેનના મોટાભાઈ, પરેશભાઈ વ્યાસ તથા જનકભાઈ વ્યાસ (આચાર્ય બંધાળા હાઈસ્કૂલ)ના બનેવી, રમેશભાઈ પંડયા (એલજી)(જૂનાગઢ), કેતનભાઈ વ્યાસ (પી એન્ડ ટી)(અમદાવાદ)ના સાળાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 5થી 6, તેમના નિવાસ સ્થાને, વિશ્વાસ એપાર્ટમેન્ટ પાર્કિંગ, સાઈબાબા મંદિર સામે, ત્રિલોકનગર, મધુરમ વંથલી રોડ ખાતે છે.

કુકસવાડા: ચંપાબેન છોટાલાલ લાખાણી તે પ્રદિપભાઈ, વિપુલભાઈનાં માતુશ્રી, પોરબંદર નિવાસી સ્વ.નારણભાઈ જમનાદાસ ઠકરાર, સ્વ.મગનલાલ તથા રમેશભાઈના બહેનનું તા.1રનાં ચોરવાડ ખાતે અવસાન થયુ છે. અંતિમયાત્રા તા.13નાં સવારે 9 કલાકે વિપુલભાઈના નિવાસ સ્થાનેથી નિકળશે. બેસણુ તા.13નાં સાંજે 4 થી 6 ચોરવાડ લોહાણા મહાજનવાડી ખાતે મોસાળ પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: સ્વ.કુવરબેન જેરામભાઈ લાલકિયા (ઉ.9ર) તે પ્રવિણભાઈ જેરામભાઈ લાલકિયા, દિલીપભાઈ, વિનોદભાઈ, હરેશભાઈના માતુશ્રીનું તા.1રના અવસાન થયું છે. બેસણુ તા.14ના સાંજે 4 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ રાજકોટ છે.

રાજકોટ: અમૃતલાલ નારણદાસ સુખાનંદી (ઉ.90) માણાવદર નિવાસી હાલ રાજકોટનું તા.11નાં અવસાન થયું છે. બેસણુ તા.13નાં સાંજે 4 થી 6 ધરમેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ, રામાપીર ચોકડી, રાજકોટ છે.

જૂનાગઢ: હીરાભાઈ પુંજાભાઈ કારેણા (ઉં.6ર) તે હરીભાઈના લઘુબંધુ, દિપકભાઈ, જગદીશભાઈ, સરોજબેન મુકેશભાઈ કોદાવલા અને હંસાબેન જીગરભાઈ રાઠોડ (ઓસ્ટ્રેલીયા)ના પિતા, ભગવાનજીભાઈ અને રમેશભાઈના કાકા, સવિતાબેનના પતિ, દ્વિજાના દાદાનું તા.1રના અવસાન થયું છે. બેસણુ તા.14ના બપોરે 3 થી 6 સત્સંગ હોલ, રાયજીબાગ શેરી નં.9, જૂનાગઢ ખાતે છે.

પોરબંદર: વિશા સોરઠીયા વણિક નવીનચંદ્ર અભેચંદ શાહ (ઉ.79) તે પ્રવિણાબેનના પતિ, કેતનભાઈ, વિશાલભાઈ, વર્ષાબેનના પિતાશ્રી, લીનાબેન, દિવ્યાબેન અને દેવાંગભાઈ પારેખના સસરા, સ્વ.શાંતિલાલ, સ્વ.ભાનુચંદ્ર અને સ્વ.વિનેશચંદ્ર, સ્વ.ધનલક્ષ્મીબેન, સ્વ.તારાબેન, સ્વ.રોનીબેન, સ્વ.વસુબેનના ભાઈ, સ્વ.માણેકલાલ મથુરાદાસ શાહના જમાઈનું અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે પ થી 6 દરમિયાન પોરબંદરની મિડલ સ્કૂલ પાસે, રત્નસાગર હોલ છે.

અમરેલી: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ગુણવંતરાય દેવશંકર પંડયા તે શૈલેષભાઈ, શોભાબેન યોગેશભાઈ ભટ્ટના પિતાશ્રી, યોગેશભાઈ ભટ્ટ (વડિયા)ના શ્વસુર, ઉષાબેન ભરતભાઈ પાઠક (જૂનાગઢ), પંકજભાઈ ચુનીલાલ પંડયા (ગોંડલ), જીતેન્દ્રભાઈ ચુનીલાલ પંડયા, કિરીટભાઈ ચુનીલાલ પંડયાના કાકાનું તા.11ના રોજ અવસાન થયુ છે. બેસણુ તા.13 શુક્રવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન જય સોસાયટી, પીજીવીસીએલ પાસે, ચિતલ રોડ પર રાખેલ છે.

સાવરકુંડલા: પુરીબેન બાલુભાઈ વિરાણી (ઉ.9પ) તે હિમતભાઈ, અશોકભાઈના માતાનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ તા.13ના સવારે 8 થી 1ર કલાકે પટેલવાડી શિવાજીનગર સાવરકુંડલા તથા તા.14ના સાંજે 8 થી 10 કલાકે એસએમસી કમ્યુનિટી તુલસી આર્કેડની બાજુમાં સુદામા ચોક, મોટા વરાછા સુરત છે.

 

વીરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્ટના પ્રમુખ રજનીકાંત બાવીશીના પત્નીનું અવસાન

રાજકોટ: જાણીતા જૈન અગ્રણી, સમાજ સેવક, વીરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્ટના પ્રમુખ રજનીકાંત ગાંડાલાલ બાવીશીના પત્ની ઉષાબેન (ઉં.86) તે ડો.કેતન બાવીશી (આંખના સર્જન અને માધવ શરાફી સહકારી મંડળીના વાઈસ ચેરમેન તથા રોટરી ક્લબ ગ્રેટરના પૂર્વ પ્રમુખ), મીતેષ, નયનાબેન નિકેતનભાઈ સંઘવી, બેલા પ્રમિત તેજાણીના માતુશ્રી, લક્ષ્મીચંદ દેવચંદ શેઠ (જાલના)ના પુત્રી, શિલ્પાબેન, મીતુલબેનના સાસુ, નિરીહા, કેત્શી, અક્ષી, વિદીષા, વિનીત, સુનીલ, ધ્રુવ, બેન્જી, પરખના દાદીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના સવારે 9-30 કલાકે, પ્રાર્થનાસભા સવારે 10થી 11, જૈન બોર્ડિંગ, માલવિયા ચોક, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક