• મંગળવાર, 17 જૂન, 2025

અવસાન નોંધ

પોરબંદર: રાકેશભાઈ કિશોરભાઈ વિઠ્ઠલાણી (ઉં.વ.42) તે કિશોરભાઈ અમૃતલાલ વિઠ્ઠલાણીના પુત્ર, પ્રિતેશભાઈ, હીરેનભાઈ અને હેતલબેનના મોટાભાઈ, સ્વ.નટુભાઈ કલ્યાણજી તન્ના, કિરીટભાઈ, રમણીકભાઈ, નરેન્દ્રભાઈ, કમલેશભાઈ, જયેન્દ્રભાઈના ભાણેજનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.12ના 5થી 5-30, પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

અમરેલી: દુધીબેન બચુભાઈ ડાભી (ઉં.90) તે બાબુભાઈ, દલસુખભાઈ (મહુવા), ધનજીભાઈ (નૂતન હાઈસ્કૂલ), કૈલાશબેન મોહનભાઈ બારૈયા, કુસુમબેન વિનોદરાય મકવાણાના માતુશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4થી 6, તળપદા કોળી બોર્ડિંગ, ચિતલ રોડ, અમરેલી છે.

જેતપુર: હરિ ૐ વૃદ્ધાશ્રમ જેતપુરમાં નિવાસ કરતા સ્વ.પ્રભાબેન અમરશીભાઈ હરસોરા (ઉં.75)નું તા.8ના અવસાન થયું છે.

રાજકોટ: નગીનદાસ અમીચંદ પારેખ (ઉં.82) તે ઉર્મિલાબેનના પતિ, વિશાલ (લક્ષ્ય વર્ડ પ્રિન્ટ), દીપ્તિ, તૃપ્તિના પિતાશ્રી, ડો.ચાર્મી, ભાવિન શાહ (એડિસઅબાબા), સુદર્શનસિંહ વાળા (રી.ડીવાયએસપી)ના સસરા, વત્સલના દાદા, સ્વ.કનુભાઈ પારેખ અને સ્વ.ભાનુબેન પ્રભુદાસ બાબરિયાના નાના ભાઈ અને જયંત, રાજેશ, તુષારના કાકાનું તા.11ના અવસાન થયું છે.

ઉના: ખોજા છોટુભાઈ કાનજીભાઈ ચારણિયાના પુત્ર જાગીરભાઈ (ઉં.41) તે અલી અને કિયાનના પિતા, સોહીલભાઈ અને રાજુભાઈના મોટાભાઈ, અમુભાઈ ખીહરીના જમાઈ, મુનાભાઈ ખીહરીના બનેવી, સદરૂદીનભાઈ અકબરઅલી, સલીમભાઈ કેરબાણી (મુખી) અને કમરૂદીનના ભાણેજનું તા.10ના અવસાન થયું છે. ચાલીમાની દુઆ તા.12ના સાંજે 7 કલાકે ઉના, ખોજા જમાતખાનામાં છે.

વાંકાનેર: સ્વ. ગોપાલદાસ મથુરાદાસ કેશરીયાના પત્ની વિજયાબેન (ઉ.87) તે રાજેશભાઇ, હર્ષદભાઇ, હંસાબેન, મીનાબેન, રંજનબેન, વિલાસબેન, જયશ્રીબેનના માતુશ્રી, ઉષાબેન, રીમ્પલબેનના સાસુ, લુણસર નિવાસી દેવશીભાઇ લાલજીભાઇ કારીયાની દીકરીનું તા.11ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.13ના સાંજે 4-30 થી 6 લોહાણા મહાજનવાડી, દિવાનપરા, વાંકાનેર છે.

રાજકોટ: જયંતિલાલ પારેખના પત્ની, તરૂણાબેન (ઉ.78) તે સ્વ. નીતાબેન ભાવેશભાઇ મહેતા, ગીતાબેન જયંતિલાલ પારેખ, બિન્દાબેન વિજયભાઇ પરીખના માતુશ્રી, હિમાંશુ કિર્તીભાઇ પારેખનાં ભાભુ, જીમીત, સ્વામી, ભાર્ગવ અને પૂજનના નાની, હીરાબેન અંબાલાલ મણિયાર (ટંકારા)ના પુત્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 5 થી 6-30 મોઢ બોર્ડિગ, 5-રાજપૂતપરા, રાજકોટ છે.

ટંકારા: નર્મદાબેન કાન્તીલાલ રાયમગીયા (ઠક્કર) (ઉ.76) મૂળ અંજાર, હાલ ટંકારા તે સ્વ. કાન્તીલાલ જાદવજીભાઇ રાયમગીયાના પત્ની, કલ્પનાબેન ગીરીશભાઇ કટારીયા (ટંકારા), વંદનાબેન  વિરેન્દ્રભાઇ ચંદે (અંજાર), સ્વ. સતીષભાઇના માતુશ્રી, ગીરીશભાઇ દિનકરરાય કટારીયા (ટંકારા), વિરેન્દ્રભાઇ જાદવજીભાઇ ચંદે (અંજાર)ના સાસુ, ચિરાગ કટારીયા, નિશિત કટારીયા, રાજ ચંદે, નમ્રતા ભાવેશભાઇ પલાણના નાની, સ્વ. પ્રેમજીભાઇ કાનજીભાઇ ગંધા (દુબઇ)ના દીકરી, સ્વ. વિશનજીભાઇ, સ્વ. ગોકળદાસ, વિનોદભાઇ, સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કરના બહેનનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષી સાદડ  લોહાણા મહાજન તા.13ના 4 થી 5 વાડી, ટંકારા છે.

રાજકોટ: વાણંદ સ્વ. કાનજીભાઇ ધરમશીભાઇ હિરાણીના મોટા પુત્ર રમેશભાઇ તે વૃજલાલભાઇનાં ભત્રીજા, સ્વ. રોહિતભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. કિરીટભાઇ, હિરાબેન વિનોદરાય ભટ્ટી, અરૂણાબેન ભાઇલાલભાઇ સમેજા, કુંદનબેન દિપકભાઇ પારલેવાળાનાં મોટાભાઇનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી 6 તેઓના નિવાસ સ્થાન હાથીખાના શેરી નં.4, પાસે છે.

રાજકોટ: પ્રકાશભાઇ અમૃતલાલ પાઠક (યશ ઘુઘરા) તે યશના પિતાશ્રી, મનોજભાઇ, દિલીપભાઇ તથા ગીતાબેનના ભાઇનું તા.10ના અવસાન થયું છે. બેસણું: તા.12ના સાંજે 4 થી 6 ચિત્રકૂટ મહાદેવ મંદિર, ચિત્રકુટ ધામ સોસાયટી, યુનિ. રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ. લાલજીભાઇ પિતાંબરદાસ પુજારાની પુત્રી હંસાબેન જયંતિલાલ ભગદેવ (ઉ.79) તે સ્વ. વિનોદભાઇ પુજારાના બહેન, નલીનભાઇ, સ્વ. કિરીટભાઇ, રાજુભાઇ તથા અનિતા આહ્યાના માસીનું તા.10ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.12ના સાંજે 5 થી 6 (મો. 94272 20867), (મો. 98251 51707) પર છે.

રાજકોટ: નૂતનબેન જયેશભાઇ કક્કડ (ઉ.77)તે સ્વ. જયેશભાઇ કાંતિલાલ કક્કડના પત્ની (રવિ પ્રકાશન વાળા), (હંસા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત, સદ્ગુરૂદેવ હરિચરદાસજી મહારાજશ્રી ભોજનાલય), ચિરાગભાઇ, અમીબેન રાજનકુમાર નથવાણી, ટમીબેન જીતેનકુમાર સીમરીયા (જામનગર)ના માતુશ્રી, રોશનીબેન ચિરાગભાઇ કક્કડના સાસુ, નવીનભાઇ કાંતિલાલ કક્કડ (દર્પણ પ્રકાશન), જગદીશભાઇ કાંતિલાલ કક્કડ તથા રસીકભાઇ કાંતિલાલ કક્કડ (એકતા પ્રકાશન), પ્રિયાંક અને ઇશિકાના દાદી, રાયપુર નિવાસી સ્વ. મુકુંદભાઇ પોપટની દીકરીનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા/બેસણું તા.12નાં સાંજે  4-30 થી 6 યોગી સભાગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

જામનગર: દયારામ નંદરામ દેવમુરારી (ઉ.85) (ડી.એન. દેવમુરારી)તે ભાવિનભાઇ તથા કલ્પેશભાઇ (દેવમુરારી ઓટો એડવાઇઝર)ના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સાંજે 6 થી 6-30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

મોરબી: મુલુંડ નિવાસી હાલ મોરબી વિઠ્ઠલદાસ એમ. કેસરીયાના પત્ની વિમળાબેન (ઉ.82) તે સ્વ. જગદીશભાઇ, શરદભાઇ, ભાવનાબેન નાગોર, હિનાબેન ઠક્કરના માતુશ્રી, વિનોદભાઇ નાગોર, યોગેશભાઇ ઠક્કરના સાસુનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12નાં સાંજે 5 થી 6 જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી છે.

સીમર: કાન્યકુબ્જ બ્રાહ્મણ ભરતભાઈ રમણિકલાલ દવે (ઉ.6ર) તે જય તથા દીપના પિતાશ્રી, સ્વ.રેણુકાબેન ગુણવંતરાય અત્રી (રાજકોટ)ના નાના ભાઈ, પ્રકાશભાઈ તથા પંકજભાઈના મોટાભાઈનું તા.10નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.1રનાં સાંજે 4 થી પ સીમર મ્હેર સમાજ ગામના ચોકમાં રાખેલ છે.

જામનગર: પ્રતાપરાઈ દેવજીભાઈ મહેતા તે સ્વ.સરોજબેનના પતિ, જીજ્ઞેશભાઈ, મિતેષભાઈ, ડિમ્પલબેનના પિતાશ્રી, જીજ્ઞાબેન, દીપાબેન અને આશિષભાઈ દોશીના સસરા, સ્વ.જેન્તીભાઈ, સ્વ.ઉમેદભાઈ, સ્વ.ચંદુભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.કાંતાબેન, સ્વ.ભાનુબેન, સ્વ.શારદાબેન અને સ્વ.વસંતબેનના ભાઈ, મીહીર અને વંશના દાદા તે સ્વ.હરિલાલ ત્રિભુવનદાસ શાહના જમાઈનું તા.10નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રનાં સવારે 10 થી 11 જાપ 11 થી 1ર ચાંદીબજાર, લોકાગચ્છની વાડી,

જામનગર છે.

રાજકોટ: મૂળ જામજોધપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.મૂળજીભાઈ લીલાધરભાઈ પોપટના પત્ની નિર્મળાબેન (ઉ.80) તે રાજુભાઈ, નયનભાઈ તેમજ સ્વ.પરેશભાઈના માતુશ્રી, ભાયાવદર નિવાસી છગનલાલ સવજીભાઈ ચંદારાણાના દીકરીનું તા.10નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.1રના સાંજે પ થી 6 કામેશ્વર મહાદેવ મંદિર, જીવંતિકાપરા ર, ગાંધીગ્રામ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

સરધાર: સ્વ.સોની જયસુખભાઈ પ્રભુદાસભાઈ પાટડિયાના પુત્રવધુ, રશ્મિબેન (રસીલા) (ઉ.43)તે આશિષભાઈના પત્નિ, કલ્પેશભાઈના ભાભી, બંસી, કૃપા, પૃષ્ટિ, દેવાંશીના માતુશ્રી, જૈવિન, શ્રુતિના મોટા મમ્મીનું તા.10/6ના અવસાન થયું છે. બેસણુ તા.1ર/6ના સાંજે 4 થી 6 ઢાંકેચા વાડી ખાતે (પોલીસ સ્ટેશન પાસે), સરધાર છે.

સાણથલી: ઔદિચ્ય ઘેલા રામજી બ્રાહ્મણ જ્ઞાતિના મુકેશભાઈ શિવ શંકરભાઈ રાજ્યગુરૂ (ઉ.પ4) તે રમેશભાઈના નાનાભાઈ, અશોકભાઈ રવિશંકર ભટ્ટના બનેવીનું તા.8/6ના અવસાન થયુ છે. બેસણુ (ઉઠમણુ) તા.1ર/6ના સાંજે 4 થી 6 કુમુકમ પાર્ક, 1/વિમલનગર મેઈન રોડ, રાજકોટ રમેશભાઈ રાજ્યગુરુના નિવાસસ્થાને તેમજ તા.14ના સાણથલી મુકામે તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: સ્વ.ચંદુલાલ રવજીભાઈ અમલાણીના પત્ની ભાનુમતીબેન તે દિનેશભાઈ, મહેશભાઈ તથા ઈલાબેન રાજેશભાઈ સેજપાલના માતૃશ્રી, દેવાંગના દાદી, સ્વ.જમનાદાસ વલ્લભદાસ નથવાણીના પુત્રી, કિશોરભાઈ, જયેશભાઈ તથા કમલેશભાઈના બહેનનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું/બેસણું પિયર પક્ષની સાદડી સાથે તા.13ના સાંજે 4-30 થી 6, સુદામા ટાઉનશીપ, મવડી-કણકોટ રોડ, મવડી ઈલે.સ્મશાનની સામે, રાજકોટ છે.

લીલાખા:  જામકંડોરણાના મોટા દુધીવદરના ગોબરભાઈ બચુભાઈ પોકીયા (ઉ.71) તે સ્વ.જોશનાબેનના પતિ તથા ભીખાભાઈના મોટાભાઈ, દિક્ષીતભાઈ, અંકિતાબેન સોરઠીયા (સાજડીયાળી), ધારાબેનના પિતા, વિનુભાઈ ભાદાભાઈ વઘાસીયા, શારદાબેન, વિજુબેન (જેતપુર)ના બનેવી, હરેશભાઈ હરખાણી (અમરેલી), તુષારભાઈ હરખાણીના મામાનું તા.11ને બુધવારે અવસાન

થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક