ચક્ષુદાન
રાજકોટ:
દયાબેન ગોવિંદભાઇ ભણસોડાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન થયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 709 મું ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન,
સ્કીન, ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા-
94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
ચલાલા:
મનીષાબેન (ઉં.45) તે નરભેરામભાઇ મણિલાલ સોઢાના પુત્રવધુ, તુષારભાઇ (એસ.ટી. કંડક્ટર)ના
પત્ની, મેહુલભાઇના ભાભી અને દિપ તથા પ્રિયાના
માતાનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ને ગુરુવારે સાંજે 4થી 6 લોહાણા મહાજન વાડી,
ચલાલા ખાતે છે.
રાજકોટ:
ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ ઇશિત પંચોલી (ઉં.26) તે કમલેશભાઇના પુત્ર, સ્વ.
જનકરાય મગનલાલના પૌત્ર, તેમજ જયંતભાઇના નાના ભાઇના પુત્ર, પ્રિયંકા દીપભાઇ ભટ્ટના નાનાભાઇ
તથા કલ્પેશ ત્રિવેદી અને સોહિત ત્રિવેદીના ભાણેજનું તા.9ને સોમવારે અવસાન થયું છે.
બન્ને પક્ષનું બેસણું તા.12ને ગુરુવારે સાંજે 4થી 6 શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર,
4-ધરમનગર કો.ઓપ. સોસાયટી, 150 ફૂટ રીંગ રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, રાજકોટ ખાતે
છે.
પોરબંદર: કસ્તુરબેન જોષી (ઉં.82) તે સ્વ. ગોરધનભાઇ જીવાભાઇ
જોષીના પત્ની, બાલકૃષ્ણભાઇ (શિવમ ઓટો એડવાઇઝર), ભરતભાઇ, જશુબેન જયસુખલાલ રાજ્યગુરુના
માતા તથા પરસોતમભાઇના ભાભી અને શૈલેષભાઇ, ડો. મનોજ (શિવમ આંખની હોસ્પિટલ), રાજેશભાઇના
મોટા બા અને નિશા મયુરભાઇ રાજ્યગુરુ, ક્રિષ્ના અભય થાનકી અને વિશ્વાના દાદીનું તા.9ના
અવસાન થયું છે. ઉઠમણું તા.12ને ગુરુવારે 4થી 5 તેમના નિવાસસ્થાને છે.
પોરબંદર:
નિર્મળાબેન પોપટ તે પ્રવીણભાઇ છગનલાલ પોપટના પત્ની તથા સ્વ. પ્રીતમભાઇ, કલ્પેશભાઇ તથા
શેતુલના માતાનું તા.7ના અવસાન થયું છે.
રાજકોટ:
ઇન્દુબેન કક્કડ (ઉં.79) તે પોપટલાલ જીવાભાઇ કક્કડના પુત્રીનું તા.9ના અવસાન થયું છે.
ટેલિફોનિક બેસણું ગુરુવારે તા.12ના સાંજે પાંચથી છ સુધી છે.
લોધીકા:
રામાનંદી સાધુ કોઠાપીપળિયા નિવાસી હરેશભાઇ અગ્રાવત (ઉં.64) તે સ્વ. ભગવાનદાસજી શામદાસજી તેમજ શાંતાબેનના પુત્ર,
સ્વ. જયંતીલાલ, મહેન્દ્રભાઇ તથા ચંદ્રિકાબેનના ભાઇ તેમજ દિલીપભાઇ, ચેતનભાઇ, હાર્દિકભાઇ,
સંજયભાઇ, સાગરભાઇ, હર્ષાબેનના કાકા તેમજ ક્રિષ્નાબેનના પિતાનું તા.6ને શુક્રવારે અવસાન
થયું છે. બેસણું તા.12 ગુરુવારે છે.