• મંગળવાર, 17 જૂન, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: સ્વ. શાંતિલાલ શામળજી શાહના પુત્ર ચંદ્રકાંતભાઇ (ઉ.78) તે સ્વ. રંજનબેનના પતિ, તે સ્વ. વનેચંદ ત્રિકમજી મહેતાના જમાઇ, સ્વ. વિરલના પિતાશ્રી, રૂપાબેનના સસરા, શ્રેયાના દાદા, પ્રવિણભાઇના નાનાભાઇ, સ્વ. અશોકભાઇ, નવનીતભાઇ, રાજેશભાઇ, દિપકભાઇ, સ્વ. મનીષભાઇના તે માધવીબેન નિતેષભાઇ કોઠારી (લંડન), અલ્પાબેન ચંદ્રેશભાઇ દોશીના મોટાભાઇનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના સવારે 10-30 વાગ્યે તેમજ પ્રાર્થના સભા સવારે 11 વાગ્યે સદર સ્થા. જૈન ઉપાશ્રય, 15 પંચનાથ પ્લોટ ખાતે, સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરાયું છે.

વડોદરા: મૂળ ધારી નિવાસી હાલ વડોદરા શૈલેષભાઇ મહેન્દ્રભાઇ મહેતા તે હંસાબેન મહેન્દ્રભાઇ મહેતાના પુત્ર, ભરતભાઇના નાનાભાઇ, પલ્લવીબેનના પતિ, રાજ અને દક્ષના પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4થી 6 એચ-402, દિયા ગ્રાન્ડ સિટી, વડસર રોડ, વડોદરા છે.

રાજકોટ: ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ સ્વ. ઇશિત કમલેશભાઇ પંચોલી (ઉં.26) તે સ્વ. જનકરાય મગનલાલ પંચોલીના પૌત્ર, જયંતભાઇના નાના ભાઇના પુત્ર, પ્રિયંકા દીપભાઇ ભટ્ટના નાનાભાઇ, કલ્પેશ ચંપકલાલ ત્રિવેદી અને સોહિલભાઇના ભાણેજનું તા.9ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.12ના સાંજે 4થી 6 ધર્મેશ્વર મહાદેવ મંદિરે, 4- ધરમનગર કો.ઓપ. સોસાયટી 150 ફૂટ રીંગ રોડ, સ્ટલીંગ હોસ્પિટલ પાછળ રાજકોટ છે.

ગોંડલ: સ્થાનકવાસી જૈન હસમુખભાઈ ગુલાબચંદ શેઠ તે ભુપતભાઈ, જગદીશભાઈ, કિરીટભાઈ, ધનસુખભાઈ, વનિતાબેન, ભાવનાબેનના ભાઈ, છાયાબેનના પતિ, આનંદના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણુ તા.1રનાં ગુરુવારે સાંજે 4 થી 6 રાખેલ છે.

મોટી કુંકાવાવ: ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જયસુખભાઈ શાંતિલાલ ભટ્ટ (ઉ.પ9) તે ચંદ્રકાંતભાઈના નાનાભાઈ, જીતેન્દ્રભાઈના મોટાભાઈ, હર્ષ, રીન્કુના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.1રના બપોરે 3 થી 6 તેમના નિવાસ સ્થાન રણુજા પ્લોટ નાની કુંકાવાવ રોડ મોટી કુંકાવાવ મુકામે છે.

પોરબંદર: પ્રભુદાસ હરિદાસ પાબારી (ઉ.89) તે સ્વ.હરીદાસ વશરામ પાબારીના પુત્ર, પ્રફૂલ્લભાઈ (પાબારી લેબ), પરેશભાઈ, જયેશભાઈના પિતાશ્રી, બીનાબેન, કાશ્મીરાબેન, ક્રિષ્નાબેનના સસરા, માધવપુરવાળા સ્વ.છગનલાલ વલ્લભદાસ કક્કડના જમાઈનું તા.9નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા, શ્વસુરપક્ષની સાદડી તા.1રનાં 4.1પ થી 4.4પ પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: વડનગરા નાગર, મૂળ ભાવનગર હાલ રાજકોટ દ્રુપદભાઈ મહેશચંદ્ર દેસાઈ તે અંજનાબેનના પતિ, વિશાલ, વિશ્વા, વિજ્ઞાના પિતાશ્રી, મિશુબેન, આશિષભાઈ, હરસિદ્ધભાઈના સસરા તથા નૂતનપ્રભાબેનના પુત્ર અને સ્વ.કૌશંબીબેનના ભાઈનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1રને ગુરૂવારે સાંજે પ થી 6, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ રાખેલ છે.

વિસાવદર: ઈલ્યાસભાઈ ઈનાયતભાઈ હિરાણી (ઉ.43) તે ઈનાયતભાઈ મુ.ગુલામહુસેન હિરાણીના પુત્ર, ઈસ્માઈલભાઈ (રાજકોટ)ના ભાઈ, ફકરૂદ્દીનભાઈ, મ.શબ્બીરભાઈ (રાજકોટ), મ.મહંમદભાઈ (બેંગલોર)ના ભત્રીજાનું તા.10ના વિસાવદર મુકામે વફાત થયા છે. શિયુમના સિપારા તા.1રનાં સવારે 11.30 કલાકે વિસાવદર ઈજ્ઝી મસ્જિદમાં છે.

રાજકોટ: ગુર્જર સુથાર રમણીકભાઈ લવજીભાઈ જાદવાણી (ઉ.78) (ચોટીલા) તે સ્વ.ભરતભાઈ, સ્વ.અમૃતલાલ, રેખાબેન રસીકલાલ વડગામા, પ્રજ્ઞાબેન ધીરેશકુમાર વડગામાના મોટાભાઈ, હિતેષભાઈ, સ્વ.કમલેશભાઈ, વિમલભાઈ તથા ધીરેનભાઈના પિતાશ્રી, ચંદ્રકાંતભાઈ કલ્યાણજીભાઈ વડગામાના બનેવીનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ તા.1રનાં સાંજે 4.30 થી 6 પુરુષાર્થ મહાદેવ મંદિર, હરીઘવા મેઈન રોડનાં છેડે ડી-માર્ટની પાછળ, રાજકોટ છે.

પોરબંદર: ગોરાણા ગામના બરડાઈ બ્રાહ્મણ તુલસીદાસ ઉર્ફે ભીખુભાઈ મકનજી મોઢા (ઉ.પપ) તે સ્વ.લાભુબેન, મકનજી ઝીણાભાઈ મોઢાના પુત્ર, સ્વ.બાબુભાઈ (પશુ તબીબ), શાંતાબેન, લતાબેન, સ્વ.નીમુબેનના ભાઈ, સરલાબેનના પતિ, કોટડાવાળા દયારામ ભાણજીભાઈ જોષીના જમાઈ, સાક્ષી, દેવલ અને દર્શનના પિતાશ્રી, જીજ્ઞેશભાઈના કાકા, જી.ટી.પી.એલ. ચેનલના હેડ અશોકભાઈ થાનકીના મામાનું તા.7ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.13ના 3 થી 4 ગોરાણા ગામ બ્રહ્મસમાજની વાડીએ છે.

રાજકોટ: ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જયાબેન પ્રવિણચંદ્ર ત્રિવેદી (ઉ.91) તે સ્વ.સરલાબેન, દીપકભાઈ પ્રવિણચંદ્ર ત્રિવેદી, જયંતભાઈ તેમજ કમલેશભાઈના માતૃશ્રીનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે પ થી 6 કષ્ટભંજન મહાદેવ મંદિર, સિંચાઈનગર, એરપોર્ટ રોડ, રાજકોટ છે.

ધોરાજી: વિશાલભાઈ મહાસુખભાઈ હિરાણી હાલ તાલાલા ગિર પીપલ્સ બેંક તાલાલા (ઉ.4પ) તે મહાસુખભાઈના પુત્ર, સોનિબેનના ભાઈ, કિશનભાઈના મોટાભાઈ, અર્પિતાબેનના પિતાનું તા.10ના અવસાન થયુ છે. બેસણુ તા.1રના સાંજે 4 થી 6 માધવ એપાર્ટમેન્ટ, કૈલાસનગર, બસ સ્ટેન્ડ પાસે તેમના નિવાસ સ્થાન, તાલાલા ગિર છે.

રાજકોટ: ખેરડી નિવાસી હાલ રાજકોટ વખતચંદ બેચરદાસ પારેખના પુત્ર ચિમનલાલ (ઉ.94) તે સ્વ. અમિચંદભાઇ, સ્વ. લલીતભાઇના નાનાભાઇ, સ્વ. જયવંતભાઇના મોટાભાઇ, સ્વ. મુકતાબેન નેમચંદ દોશી (મુંબઇ) સ્વ. ચંદનબેન રમણીકલાલ મહેતા (મહુવા), ઉષાબેન,  સ્વ. ગુણવંતીબેન ચંદ્રકાન્ત મહેતા (રાજકોટ), સ્વ. જ્યોત્સનાબેન પ્રફુલચંદ્ર પંચમીયા (મુંબઇ)ના ભાઇ, સ્વ. શરદચંદ્ર ન્યાલચંદ દોશી (જામખંભાળિયા)ના જમાઇ, હિમાંશુ, ભાવના કલ્પેશ શાહ (અમદાવાદ)ના પિતાશ્રી, મોનિકાબેનના સસરા, ભૂમિતા જયકુમાર વોરા (જૂનાગઢ), કુ. શ્વેતા અને હીતના દાદાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ને ગુરૂવારે સવારે 10 કલાકે આનંદનગર જૈન દેરાસર ઉપાશ્રયે રાજકોટ રાખેલ છે.

રાજકોટ: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સમાજના સ્વ. પ્રાણજીવન ગોવિંદજી દવે, સ્વ. રમાલક્ષ્મી પ્રાણજીવન દવેની પુત્રી, હર્ષિદાબેન હુલ્લાસરાય દવે (દવે સ્વીટ માર્ટ), સ્વ. હરદત, સ્વ. વિનાયકભાઇ, વસંતભાઇ, સનતભાઇ, દિલીપભાઇ, ઋષિકેશભાઇ અને પલ્લવી ભદ્રેશકુમાર ભટ્ટ (મુંબઇ)ના મોટા બહેનનું તા.7ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી, વસંતભાઇ દવેના નિવાસસ્થાને તા.13ના સાંજે 6 થી 7 દરમિયાન, 4/શ્રી રેસીડેન્સી અયોધ્યા રેસીડેન્સી 1-કોર્નર નેત્રદીપ હોસ્પિટલ પાછળ, અયોધ્યા ચોક પાસે, 180 ફૂટ રીંગ રોડ,

રાજકોટ છે.

જામખંભાળિયા: સ્વ. સુરેશભાઇ બચુભાઇ ધકાણ (બાકોડી વાળા)ના પત્ની આરાધનાબેન (ઉ.65) તે ભરતભાઇ, આરતીબેનના માતુશ્રીનું તા.10 ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 5 થી 6 પાવન એપાર્ટમેન્ટ, પાંજરાપોળ ચોક, ઉપલેટા છે.

સાવરકુંડલા: વનીતાબેન ચીમનલાલ જોશી (ઉ.64) તે  ચીમનલાલ ભાનુશંકર જોષીના પત્ની, દીપકભાઇ, અજીતભાઇ, કેતનભાઇના માતુશ્રી અને જય અજીતભાઇ જોષી (ઉ.14) તે અજીતભાઇ ચીમનભાઇ જોશીના દીકરા, માતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.12ના સવારે 8 થી 6 બાઢડા ખાતે છે.

સાવરકુંડલા: નર્મદાબેન લાલજીભાઇ નાકરાણી (ઉ.74) લાલજીભાઇ રૂડાભાઇ નાકરાણીના પત્ની, કિશોરભાઇ, વિપુલભાઇ, અતુલભાઇ, જગદીશભાઇ, જયશ્રીબેન સુરેશભાઇ ધામેલીયાના માતુશ્રીનું તા.8ના  અવસાન થયું છે. બેસણું તા.12ના સવારે 8 થી 5 પટેલ વાડી, શિવાજીનગર

સાવરકુંડલા છે.

નાની વાવડી, તા. ગારીયાધાર: રમણીકલાલ દીક્ષિત (ઉ.77) તે સ્વ. નટવરલાલ જીવનલાલ પાઠક (નાની વાવડી)ના જમાઇ, સ્વ. ભાસ્કરભાઇ, મનોજભાઇ, રાજુભાઇ, દક્ષાબેન નરેન્દ્રભાઇ શુકલ (દામનગર), જયશ્રીબેન જીતેન્દ્રભાઇ ત્રિવેદી (સુરત) અને સીમાબેનના બનેવી, સાગરભાઇ, હર્ષભાઇ, પાર્થભાઇ, પારૂલબેન અને ધરાબેનના ફૂવા, ગૌરવભાઇ અને ડો. ઋચિબેન અને સ્વ. મિતલબેનના પિતા, સ્વ. ભરતભાઇ, ગીરીશભાઇ અને મમતાબેનના ભાઇનું તા.8ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક