બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવા આપી સૂચના
અમદાવાદ,
તા.12 : આજે બારડોલી ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ખેડૂત સંમેલન
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી
પડવાની દુર્ઘટનાની જાણ થતાં તેમણે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને
તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચનાઓ આપી હતી. આ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી
અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલિફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક
સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પિટલમાં સારવારની તમામ
વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી હતી ત્યારબાદ તેઓ તેમના અગાઉથી
નિર્ધારિત કરેલા તમામ કાર્યક્રમો રદ કરીને સુરતથી વિમાન દ્વારા વડોદરા (જુઓ પાનું
10)
પહોંચ્યા
હતા અને ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા ત્યાંથી
તેઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને જાત માહિતી મેળવી હતી.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક
વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ-રાહત કામગીરી માટે ગઉછની ટીમો અને કેન્દ્ર સરકારની
સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું
પ્લેન
દુર્ઘટનાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલીક અમદાવાદ દોડી આવ્યા હતા. તેઓ
અમદાવાદમાં ઘટનાસ્થળે પહોંચી વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. એ સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા
હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.
અને ત્યાં પરિસ્થિતિનું નરિક્ષણ કયું હતું.