• મંગળવાર, 17 જૂન, 2025

રાફેલ અંગે પાકિસ્તાનના દાવાની હવા કાઢતી ડસૉલ્ટ ફ્રાંસની કંપનીના સીઈઓએ ગણાવ્યો પાકિસ્તાનનો પ્રોપેગેન્ડા

પેરિસ,  તા.1પ : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ છેડેલા ઓપરેશન સિંદૂર દરમિયાન જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને ભારતના અનેક રાફેલ સહિત લડાકૂ વિમાન તોડી પાડયાનો દાવો કર્યો હતો જે અંગે હવે રાફેલ બનાવતી કંપની ડસોલ્ટે જવાબ આપ્યો છે.

રાફેલ ફાઈટર જેટ નિર્માતા ડસોલ્ટ એવિએશનના સીઈઓ એરિક ટ્રૈપિયરે પાકિસ્તાનના દાવાને સંપૂર્ણ રીતે ખોટો ગણાવી ફગાવી દીધો છે. ફ્રાંસના એક મેગેઝિન સાથેની વાતચીતમાં તેમણે કહ્યંy કે ભારતીયોએ આ મામલે અમારો સંપર્ક કર્યો નથી. એટલે અમને બરાબર ખબર નથી કે ત્યાં શું થયું છે ? પરંતુ જ્યાં સુધી રાફેલને તોડી પાડયાની વાત છે તો અમે અગાઉથી જ જાણીએ છીએ કે તે પાકિસ્તાનનો એક નકલી પ્રોપેગેન્ડા છે.

રાફેલના પ્રદર્શન અંગે ટ્રૈપિયરે કહ્યું કે જ્યારે કોઈ લડાકૂ વિમાન પોતાના મિશન પર જાય છે તો તેની ક્ષમતાને તેના મિશન પૂરું કરવાની કાબેલિયતને આધારે માપવામાં આવે છે. ન કે તેના નુકસાનને આધારે. હાલ આ અંગે કંઈ કહી શકાય નહીં પરંતુ જ્યારે સત્ય સામે આવશે તો કેટલાક લોકોને આશ્ચર્ય જરૂર થશે. ઐતિહાસિક યુદ્ધોમાં વિમાનોના ઉદ્દેશો અંગે કહ્યંy કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોઈ એ પણ એવું કહ્યું નથી કે મિત્ર રાષ્ટ્રોએ પોતાના ઘણાં સૈનિક ગુમાવ્યા એટલે તેઓ પણ યુદ્ધ હારી ગયા. આવું નથી અને થતું નથી. અંતે જોવામાં આવે છે કે મિશન પૂરું થયું કે નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક