અમદાવાદ, તા.15: અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાને ત્રણ દિવસ વિતી ચૂક્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે ઉગઅ સેમ્પાલિંગની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં 86 મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે અને 27 લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હવે ફક્ત 3 મુસાફરોના સગાંસંબંધીઓના સેમ્પલ લેવાના બાકી છે. આ સગાંસંબંધીઓ હાલમાં યુ.કે.માં રહે છે, અને આગામી 2-3 દિવસમાં સેમ્પલ આપવા આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.
સંબંધિત
જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરી કાયદેસર
વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી/અન્ય અધિકારીઓની
નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર આ માટે અસરગ્રસ્તોને
મદદરૂપ થઈ રહ્યું છે. વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ
કરવામાં સરળતા રહે તે માટે આઇઆરડીએના નોટિફિકેશન અન્વયે હોસ્પિટલ ખાતે જોઇન્ટ સેલ શરૂ
કરવાની સૂચના આપવામાં આવી હતી. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ
કંપનીને લીડ ઇન્સ્યોરર તથા લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી એચડીએફસી લાઇફને લીડ ઇનસ્યોરર
નીમવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી
સિવિલ હોસ્પિટલ ખાતે ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ તેમજ એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ અને એલઆઇસીના
હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા છે. જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં મુસાફરો તથા અન્ય
પ્રભાવિત લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ સરળતાથી અને ઝડપથી પ્રોસેસ થાય તથા તે માટે તેમને
જરૂરી માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દુર્ઘટનાગ્રસ્તોના
પરિવારજનોને સંબંધિત ઇન્સ્યોરન્સ કંપનીના નોડલ ઓફિસરની માહિતી પણ પૂરી પાડવામાં આવે
છે. આરોગ્ય વિભાગના દ્વારા ટ્રોમા સેન્ટરમાં 100 આરોગ્ય કર્મચારીઓ સહિત તમામ આરોગ્યને
લગતી કામગીરી માટે 855થી વધુ હેલ્થ સ્ટાફ રાહત-બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યાં છે.
સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત વધારાના સ્ટાફ તરીકે આ મેનપાવર કાર્યરત કરાયો
છે.