વિધવા મહિલા એકલી રહેતી હોઈ વાડીએ નહિ આવવાનું કહેતા ઝઘડો હત્યામાં પરિણમ્યો
તળાજા,
તા.7: તળાજાના ભારોલી ગામે દારૂડિયો કૌટુંબિક ભાઈ વિધવા બહેનની વાડીએ મટનનું શાક બનાવવા
આવ્યો હતો. એ જ સમયે ગામનો એક ઈસમ ત્યાં હોય તેણે આવવાની ના પાડતા થયેલો ઝઘડો હત્યામાં
પરિણમ્યો હતો.
હત્યાના
બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજાના ભારોલી ગામે ઘેલુભા અજુભાની વાડીએ ખેત મજૂરીકામ
કરતી ચેતનાબેન ભુથાભાઈ પરમાર ઉ.વ.38એ નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાના પતિ બીમારીના કારણે
સાત મહિલા પહેલા મૃત્યુ પામ્યા હતા.
ગત
તા.3/6/રપની રાત્રે સાતેક વાગે કૌટુંબિક ભાઈ અશોક ઉર્ફે પિન્ટુ ચિથરભાઈ પરમાર દારૂ
પીને આવ્યો હતો. તેઓ મટનનું શાક બનાવવા આવેલા હોઇ મહિલા શાક બનાવતી હતી એ સમયે ગામના
જ લગધીરસિંહ ઉર્ફે લઘરો રમજુભા ગોહિલ ત્યાં આવ્યા હતા.
આથી
કૌટુંબિક ભાઈએ લગધીરસિંહને તમે શા માટે વાડીએ આવો છો ? ચેતનાબેન સાથે સબંધ ધરાવો છો
તેમ કહેતા બન્ને વચ્ચે થયેલી બોલાચાલીને કારણે અશોકભાઈને લગધીરસિંહ વચ્ચે મારામારી
થઈ હતી. બાદમાં લગધીરસિંહ જતા રહ્યા હતા. આ ઘટનામાં અશોકભાઈ બેભાન હાલતે જોવા મળતા
108ની મદદ લઈ ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં
ખસેડાયા હતા, જ્યાં તેમને બપોરે મૃત જાહેર કરાયા હતા. ચેતનાબેન પરમારે લગધીરસિંહ વિરુદ્ધ
ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારાને ઝડપી લીધો છે.