• બુધવાર, 12 માર્ચ, 2025

શેરબજારમાં રોકાણના નામે રૂ.1 કરોડ 81 લાખના ઠગાઈ કેસમાં બે ઝબ્બે

જામનગર તા.11 : જામનગરના એક વરિષ્ઠ નાગરિક સાથે શેરબજારમાં રોકાણ કરવાના નામે કેટલીક બેંકના ખાતાઓમાં રૂ.1 કરોડ 81 લાખ ટ્રાન્સફર કરાવી તે રકમ શેરમાં રોકવામાં આવી છે તેમ જણાવી છેતરાપિંડી કરી લેવાઈ હતી. તેની ફરિયાદ ચાલુ વર્ષે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.આ શખ્સોએ એક ફેક એપ ના માધ્યમથી વોટ્સએપ, મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ગઈ તા.30-9-ર4થી તા.ર3-10-ર4 સુધીમાં મસમોટી રકમ વિવિધ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી હોવાથી તેનું એનાલિસિસ શરૂ કર્યું હતું. તેમાં ગિર સોમનાથમાં એક આરોપીના સગડ નીકળ્યા હતા જેના પગલે ત્યાં દોડી ગયેલી સાયબરક્રાઈમ પોલીસે જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના વતની અને હાલમાં રાજકોટમાં મેટોડા જીઆઈડીસી નજીક અંજલી પાર્કમાં રહેતા કિશોર વાલા જોગદીયા અને ગિર સોમનાથના ગીરગઢડા તાલુકાના સાણાવાકીયા ગામના ઘનશ્યામ મધુ પરમાર નામના બે શખ્સને દબોચી લીધા છે. તેમનો મોબાઈલ કબજે કરાયો છે. આ શખ્સોએ કૌભાંડીઓને પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હોવાનું ખૂલ્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક