અગ્નિવીર યોજનામાં વ્યાપક સુધારાની તૈયારી : આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન
નવી
દિલ્હી, તા.9: અમેરિકા સાથે ટ્રેડ વોર વધુ વકરવાની આશંકાઓ વચ્ચે ડ્રેગને ભારત તરફ મિત્રતાનો
હાથ લંબાવ્યો છે ત્યારે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું કહેવું છે કે ચીન પર કોઈપણ
રીતે વિશ્વાસ મુકી શકાય તેમ નથી. વધુમાં ભારતીય સૈન્ય નવી ટેક્નોલોજી સાથે દરેક પડકારોનો
સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીન
અને પાકિસ્તાન વચ્ચે મિલિભગત છે, જે આપણે સ્વીકારી લેવું જોઈએ. એટલે કે ભારત માટે બંને
મોરચે જોખમ છે તેમ આર્મી ચીફ ઉપેદ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું. આ સાથે તેમણે ભવિષ્ય
માટે સૈન્યની તૈયારીઓ, દુનિયામાં હાલ ચાલી રહેલા ઘર્ષણોમાંથી બોધપાઠ, બાંગ્લાદેશમાં
સ્થિતિ અને વાસ્તવિક નિયંત્રણ રેખા અને અંકુશ રેખા પરની સ્થિતિ પર પ્રકાશ પાડયો હતો.
તેમણે
જણાવ્યું કે, ચીન સાથે ફરી યુદ્ધની સ્થિતિ સર્જાય તો ભારત કેટલું તૈયાર છે તે મુદ્દે
સૈન્ય પ્રમુખે કહ્યું કે, ભારત ડ્રોન ટેક્નોલોજી સહિત દરેક વિકસિત થઈ રહેલી ટેક્નોલોજી
પર કામ કરી રહ્યું છે. આપણી પાસે એવા ડ્રોન છે, જે એકે-47 ફાયર કરી શકે છે અને મિસાઈલ
લોન્ચ કરી શકે છે. ચીન તરફથી ડ્રોન એટેક થાય તો ભારત પણ વળતો હુમલો કરવા સંપૂર્ણપણે
તૈયાર છે. તેમણે ઉમેર્યું કે, અગ્નિવીર યોજનાને
વધુ અસરકારક બનાવવા માટે અનેક સ્તર પર કામ ચાલી રહ્યું છે. રજાઓની જોગવાઈને નિયમિત
સૈનિકોને સમાન કરવા, અગ્નીવીરને પણ અન્ય સૈનિકો જેવી સુવિધાઓ આપવા જેવા અનેક સુધારા પર વિચારણા થઈ રહી છે