• મંગળવાર, 10 જૂન, 2025

આગોતરા જામીનના નિર્ણયમાં સાવચેતી જરૂરી : સુપ્રીમ

નજર સામે પિતાની હત્યા કરનારા ચાર આરોપીને જામીન આપતા પટણા હાઇ કોર્ટના ચુકાદાને સર્વોચ્ચ અદાલતે ફગાવ્યો

નવી દિલ્હી, તા.7: ગંભીર ગુનાને લગતા કેસમાં આગોતરા જામીન આપવાની પ્રક્રિયાને યંત્રિક નહીં બનાવવા સુપ્રીમ કોર્ટે ટકોર કરી  હત્યાના એક કેસમાં પટણા હાઈ કોર્ટે ચાર આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આરોપીઓના જામીન રદ કરી હાઈ કોર્ટને ગંભીર કેસમાં આગોતરા જામીન અંગે ચુકાદો આપતી વખતે સાવચેતી રાખવા જણાવ્યુ હતું. સુપ્રીમ કોર્ટના ત્રણ જજીસની બેન્ચે હત્યા કેસના ચાર આરોપીના આગોતરા જામીન ફગાવી દેતા નોંધ્યું હતું કે, પટણા હાઈ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે કોઈ કારણ જણાવ્યું નથી. પહેલી મે ના રોજ આઈપીસીની કલમ 302 અને 307 હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીઓને જામીન અપાયા હતા. હાઈ કોર્ટના ચુકાદાને અટપટો અને ન્યાયિક વિષ્લેષણ વગરનો ઠરાવીને સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર કેસમાં આગોતરા જામીનનો નિર્ણય અત્યંત યંત્રિક રીતે લેવાયો છે અને તેને સાંખી શકાય નહીં, જેથી હાઈ કોર્ટનો હુકમ રદ કરવામાં આવ્યો છે.  એફઆઈઆર તથા અન્ય તથ્યોના વાચન માત્રથી કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારની હાજરીમાં જ તેના પિતા પર હુમલો થયો હતો. બંને પક્ષ વચ્ચે અવર-જવરનો રસ્તો રોકવા બાબતે વિવાદ હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક