• બુધવાર, 12 માર્ચ, 2025

avsan nondh

દેહદાન, ચક્ષુદાન

ભાવનગર: જ્યોતકુમાર જેષ્ઠાલાલ મહેતા (ઉં.80) (િનવૃત્ત પ્રાધ્યાપક, એમ.જે. કોલેજ ઓફ કોમર્સ) તે સ્વ. મંજુલાબેન જેષ્ઠાલાલ મહેતાના પુત્ર, વીણાબેન જ્યોતકુમાર મહેતાના પતિ, ડો. હેતલ મહેતા (આચાર્ય, સ્વામી સહજાનંદ કોલેજ), અંજલિ મહેતા તથા ડો. મોહિત મહેતાના પિતાશ્રી, ડો. શંકા મોહિત મહેતાના સસરા, સી.જે. શેઠ દવાવાળા ગોંડલ (મસ્કત વાળા)ના જમાઇનું તા.13 અવસાન થયું છે. સદ્ગતના ચક્ષુનું તેમજ દેહદાન કરેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ચક્ષુદાન

રાજકોટ: ભાવેશભાઈ ભરતભાઈ દેવડાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 635મું ચક્ષુદાન ડોનેશન થયેલ છે. ચક્ષુદાન સિવિલ ચોકીના એએસઆઈ રામશીભાઈ જે. વરૂના સહયોગથી થયેલ છે.

સ્કીન ડોનેશન

રાજકોટ: નિલમબેન સુમિતલાલ કામદારનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 634 મું ચક્ષુદાન તથા 24મું સ્કીન ડોનેશન થયેલ છે.

 

રાજકોટ: દશા મોઢ માંડલિયા વણિક પાલીતાણા નિવાસી હાલ રાજકોટ પુષ્પાબેન શાંતિલાલ પારેખ (ઉ.85) તે જયેન્દ્રભાઈ, નયનાબેન, જીતેન્દ્રભાઈ, ગીતાબેનના માતુશ્રી, બ્રિજેશભાઈ, રિદ્ધિબેન કશ્યપભાઈ પટેલ, ભાવિકાબેન સાગરભાઈ શાહ, ડો.વૈભવભાઈ તથા પાર્થભાઈના દાદીનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના સવારે 11 થી 12, જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

ધ્રોલ: નવગામ ભાટીયા સવિતાબેન વનરાજભાઈ વેદ (ઉ.84) તે સ્વ.વનરાજભાઈ લીલાધર વેદના પત્ની, સ્વ.સુરેશભાઈ (મુંબઈ), સ્વ.વાડીલાલભાઈ (મુંબઈ) તથા અનંતભાઈ (જામનગર)ના ભાભી, ભારતીબેન સંપટ, મીરાબેન સંપટ, ગીતાબેન સંપટ તેમજ વૈશાલીબેન સંપટ (બેંગ્લોર) તથા મુકેશભાઈ વેદના માતુશ્રી, જીગર તથા ધરમના દાદીનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.15ના સાંજે 4 થી 5-30, ભાટીયા મહાજન વાડી, ધ્રોલ છે.

સાવરકુંડલા: કુંદનબેન મહેશભાઈ બનજારા (ઉ.57) તે મહેશભાઈ પ્રતાપરાય બનજારાના પત્નીનું તા.14ના અવસાન થયું છે. સાદડી તા.15ના સાંજે 4 થી 6, ઓમકારેશ્વર મંદિર, જેસર રોડ, સાવરકુંડલા પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: સાતોદળ મેડતવાડ શ્રીગોળ બ્રાહ્મણ દેવીકાબેન શશીકાંતભાઈ જોષી (ઉ.80) તે સ્વ.શશીકાંતભાઈ હરિકૃષ્ણભાઈ જોષીના પત્ની, હરસુખભાઈના નાનાભાઈના પત્ની, વિપુલભાઈના માતુશ્રી, ઋષિ અને રાજના દાદી, ઉદયશંકર પ્રાણશંકર જાનીના દીકરીનું તા.14ના અવસાન થયું છે. બંન્ને પક્ષનું બેસણું તા.17ના બપોરે 4 થી 6, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક, રૈયા રોડ, પેરેડાઈઝ હોલની પાછળ, રાજકોટ છે.

રાજકોટ: દેરડીકુંભાજી નિવાસી હાલ રાજકોટ સ્વ.અમૃતલાલ કરશનભાઈ શાહના પુત્ર અનંતરાય (ઉ.76) તે સ્વ.મીનાબેનના પતિ, સ્વ.ફાલ્ગુની, ચેતન, ધર્મેન્દ્ર, હિતેષના પિતાશ્રી, વિમલ, પલ્લવી, દેવાંગી, કાજલના સસરા, સ્વ.િવનુભાઈ, જ્યોતિન્દ્રભાઈ, વિજયભાઈના મોટાભાઈ, સ્વ.મોહનલાલ કલ્યાણજીભાઈ દોશીના જમાઈનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું, બેસણું તા.15ના સવારે 11 થી 12, બાવન જિનાલય, જૈન દેરાસર, શક્તિનગર મેઈન રોડ, પરિમલ સ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.સુરેશભાઈ મગનભાઈ વાળા તે અનીતાબેનના પતિ, હિમાંશુભાઈ, કિશનભાઈના પિતાશ્રી, સ્વ.ગીરધરભાઈ, અશોકભાઈ, ચંદ્રકાંતભાઈ, જેન્તીભાઈના નાનાભાઈનું અવસાન થયું છે. બેસણું તા.15ના સાંજે 4 થી 6, ‘સહજાનંદ’, નાણાવટી ચોક, લક્ષ્મીછાયા સોસાયટી પ્લોટ નં-26, વિતરાગ સોસાયટીની બાજુમાં, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: વિજયાબા પ્રતાપસિંહ રાઠોડ (ઉ.88) તે યોગેન્દ્રસિંહના માતુશ્રી, ડો.વ્રજના દાદી, દિલીપસિંહ, જયેશભાઈ રાઠોડના ભાભીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.15ના સાંજે 5 થી 6, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ છે.

રાજકોટ: નિર્મલાબેન કાનજીભાઈ કોટક તે કરસનદાસ રણછોડદાસ રાજદેવના પુત્રી, નિલેશભાઈ, હિતેશભાઈ, રાજેશભાઈના માતુશ્રી, સ્વ.મણીલાલ, ડો.મગનભાઈ, બાબુભાઈ, સ્વ.રાધાબેન ઠકરાર, સ્વ.ઉજમબેન ચોટાઈના ભાભી, અમિષા, વત્સલ, કશિશ, થનક, પર્વના દાદીનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.15ના સાંજે 5 કલાકે, 10-મનહર પ્લોટ, પટેલ નિવાસ ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.

જામનગર: શ્રી 505 ગુગળી બ્રાહ્મણ રતિલાલ પ્રેમજી દવેના પત્ની રમાબેન (િનવૃત્ત શિક્ષક)(ઉ.87) તે હેમેન્દ્રભાઈ, કલ્પેશભાઈ, મુકેશભાઈના માતુશ્રી, કિર્તીબેન, દિપ્તીબેન, દક્ષાબેનના સાસુ, ભૂમિકા, કુશલના દાદીનું તા.8ના દ્વારકા ખાતે અવસાન થયું છે.

ગોપાલગ્રામ: બાબુભાઈ દેવશીભાઈ ગોહીલ (ઉ.82) તે ચતુરભાઈ, કમલેશભાઈના પિતાશ્રીનું તા.13ના અવસાન થયું છે.

જૂનાગઢ: સોની મોહનલાલ જગજીવનભાઈ વેડિયાના પત્ની ચંદ્રિકાબેન (ઉ.77) તે પંકજભાઈ, કિર્તીબેન, દક્ષાબેન અને ક્રિષ્નાબેનના માતુશ્રી, હરકિશનભાઈ, પરેશભાઈના ભાભુ, ચિરાગભાઈના દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.15ના સાંજે 5 થી 6, દેશાવરી વિશા શ્રીમાળી વણિક સોની જ્ઞાતિની વાડી, ફુલિયા હનુમાન રોડ, જૂનાગઢ છે.

ગઢડા (સ્વામીના): બોડકી નિવાસી કાંતાબા નિમાવત (ઉ.105) તે સ્વ.બાવનદાસબાપુ, દુર્લભરામબાપુ નિમાવતના પત્ની, સ્વ.બળરામબાપુ (વનાળી)ના નાનાભાઈના પત્ની, મંગળદાસબાપુ, બંસીદાસબાપુ, સ્વ.પ્રભુદાસબાપુ, બાબુભાઈ, દિનેશભાઈ, લાભુબેન બી.દેવમુરારી (વલભીપુર), કમળાબેન આર.અગ્રાવત (કાળાતળાવ), સ્વ.હંસાબેન કે.અગ્રાવત (નોંધણવદર), ગૌરીબેન બી.અગ્રાવત (ચોગઠ), પુષ્પાબેન બી.આચાર્ય (ઉમરાળા), ગીતાબેન એસ.રામાનુજ (સુંદરીયાણા)ના માતુશ્રી, સ્વ.ગંગારામબાપુ (વનાળી), સ્વ.બાલકકૃષ્ણબાપુ, સ્વ.ફરશુરામબાપુ, સ્વ.િવષ્ણુ રામબાપુ (વનાળી), ઘનશ્યામબાપુ (ભાવનગર), રાધેશ્યામભાઈ (સણોસરા)ના કાકી, પ્રદિપભાઈ, અતુલભાઈ, ઈલેશભાઈ, ઉદયભાઈ (બીએમસી), વૈભવભાઈ (બાપાસીતારામ)ના દાદીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સવારે 8 થી તેમના નિવાસ સ્થાન, મુ.બોડકી, તા.ગઢડા (સ્વા.) જી.બોટાદ છે.

રાજકોટ: સ્વ.મકનજીભાઈ જદુભાઈ કારીયા (શેરગઢ)ના પુત્ર બિપીનભાઈ (ઉ.64) તે રવિભાઈ (રાજેશ ઈન્ડસ્ટ્રીઝ)ના પિતાશ્રી, સ્વ.કમલેશભાઈ, રાજેશભાઈ, મધુબેન ચિમનલાલ રાયકુંડલીયા, રેખાબેન પ્રફુલકુમાર વિઠલાણીના મોટાભાઈનું તા.14ના અવસાન થયું છે. બેસણું તથા સ્વ.લલીતચંદ્ર માવજીભાઈ ચનાભટી (મોટીપાનેલીવાળા)ના જમાઈની સાદડી તા.15ના 4 થી 5-30, અન્નપુર્ણેશ્વર મહાદેવ મંદિર, જુની પપૈયાવાડી શેરી નં.1, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક